જમીનને અડકતી ડાળીઓની છટણી કરી બાળી નાંખવી. 

ખેતીકાર્યો કરતી વખતે છોડની ડાળીઓ કે થડને કોઇ ઇજા ન થાય તેની કાળજી રાખવી. 

થડને પાણીનો સીધો સંર્પક ન થાય તે માટે થડ પર બોર્ડો પેસ્ટ (મોરથુથું ૧ કી.ગ્રા., કળીચૂનો ૧ કિ.ગ્રા. તથા ૧૫ લિટર પાણી) લગાવી થડની ફરતે માટી ચડાવવી. 

અસરગ્રસ્ત ઝાડના થડ ફરતે મેટાલેક્ષીલ એમઝેડ ૭૨ વેપા (૪૫ ગ્રામ ૧૫ લિટર પાણીમાં) નું દ્રાવણ આપવું.