ગાભમારાની ઇયળના નિયંત્રણ માટે ખેતરમાં રાત્રીના સમયે પ્રકાશપીંજર ગોઠવી ગાભમારાની ઇયળના તેમજ લશ્કરી ઇયળના પુખ્ત આકર્ષીને નાશ કરી તેની વસ્તીમાં ઘટાડો કરી શકાય. ગાભમારાની ઇયળના નર ફૂદાને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ ગોઠવવાથી પણ વસ્તીનું નિયંત્રણ કરી શકાય. કારટેપ હાઇડ્રોકલોરાઇડ ૪ જીઆર (૮ કિ.ગ્રા./એકર) અથવા કાર્બોફયૂરાન ૩ જી (૧૦ કિ.ગ્રા./એકર) અથવા થાયાસાયકલેમ હાઈડ્રોજન ઓક્ઝેલેટ ૪ જી (૮ કિ.ગ્રા./એકર) અથવા ઇમિડાક્લોપ્રીડ ૦.૩ જીઆર (૬ કિ.ગ્રા./એકર) અથવા ફીપ્રોનીલ ૦.૩ જીઆર (૧૦ કિ.ગ્રા./એકર) અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૦.૪ જીઆર (૪ કિ.ગ્રા./એકર) અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૦.૫% થાયામેથોક્ઝામ ૧% જીઆર (૨.૫ કિ.ગ્રા./ એકર) ખેતરમાં પાણી ઓછુ કર્યા બાદ બે વખત (પ્રથમ માવજત જીવાતનો ઉપદ્રવ શરૂ થાય ત્યારે અથવા ફેરરોપણી પછી ૩૦-૩૫ દિવસે અને બીજી માવજત ત્યારબાદ ૧૫-૨૦ દિવસે) આપવાથી ઉપદ્રવ કાબુમાં રહે છે. આ સિવાય ફ્લ્યૂબેન્ડીયામાઇડ ૪૮૦ એસસી 6 મીલિ અથવા ઈન્ડોક્ઝાકાર્બ ૧૫.૮ ઈસી 15 મીલિ અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસસી 6 મીલિ પૈકી ગમે તે એક કીટનાશક ૧૫ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરતાં અસરકારક નિયંત્રણ મળે છે.

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ