પાકને ખાતર અને પાણી પ્રમાણસર આપવું. બીજને વાવતાં પહેલાં ઈમિડાક્લોપ્રીડ  ૭૦ ડબલ્યૂએસ ૭.૫ ગ્રામ અથવા થાયોમેથોક્ઝામ ૭૦ ડંબલ્યૂએસ ૪ ગ્રામ પ્રતિ કિલો બીજની માવજત આપવી. 

 મુખ્ય પાકની ફરતે પિંજર પાક તરીકે દિવેલા અથવા ગલગોટાનું વાવેતર કરવાથી આ જીવાત તેના પર વધુ આકર્ષાય છે જેથી મુખ્ય પાક ઉપર ઉપદ્રવ ઓછો રહેશે. 

ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૫ મિ.લિ. અથવા સાયાન્ટ્રાનીલીપ્રોલ ૧૦.ર૬ ઓડી ૧૫ મિ.લિ. ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.