રોગની શરૂઆત જણાય કે તરત જ વેટેબલ સલ્ફર ૮૦ ટકા વે.પા ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી પ્રથમ છંટકાવ કરવો. બીજો છંટકાવ ૧૫ દિવસે હેક્ઝાકોનાઝોલ પ ટકા ઇસી ૧૫ મિ.લી.૧૫ લિટર પાણી ઉમેરી કરવાથી રોગનું અસરકારક નિયંત્રણ થાય છે. રોગગ્રસ્ત પાન અતે વિકૃત પુષ્પગુચ્છો દૂર કરવાથી ફૂગનાશકોના છંટકાવની અસરકારકતા વધે છે.