આવુજ બાયો ટેક્નોલોજી એટલેકે બીટી ટેક્નોલાજી વિષે આપણે હજુ પણ વિજ્ઞાનને કોરાણે મૂકીને વિચારીયે છીએ એમાં સોસીયલ મીડિયા આગ લગાડેલી છે ખોટા સંદેશ ફેલાવવાની . બીટીની શોધ એક સારો આવિષ્કાર છે અને તેના 12 વર્ષ ભરપૂર લાભ આપણે લીધો તે ભૂલવા જેવું નથી , ગુલાબી આવી ,  કોઈ પણ જીવાત હોય તેને પણ કુદરતે જીવવાનો અધિકાર આપ્યો છે એટલે પ્રતીકારકતા  કેળવે એમાં શું થઇ ગયું ? પણ તે લાંબા વરસે  કેળવે તે આપણે અને વેપારીઓએ જોવાનું છે એટલે એમાં પણ આપણો  વાંક છે નામ નેઠા  વગરની ઉંચા ડોઝ ની દવા આજકાલ બધા છાંટીએ  છીએ , આપણે જીવાત દેખાણી નથીને તલવાર લીધી નથી એલા જો કે સોઈ થી મરે છે ?  અથવા બે દી  રાહ તો જો કુદરત ક્રાયસોપા કે દાળિયા મોકલશે , પણ ના , દવા મરચીમાં એટલી છાંટીએ  કે હવે કાળી થ્રિપ્સ વર્ષે કેટલો ઉપાડો લેશે તે જોજો , એક મરચીના ફૂલ માં 15-20 દેખાશે .