સોયાબીનનો ઉપયોગ ચીન,જાપાન તેમજ થાઈલેન્ડ જેવા દેશો લગભગ પ૦૦૦ વર્ષોથી કરી રહયા છે. આપણાં દેશમાં સોયાબીનનો ઉપયોગ લગભગ ૪૦ વર્ષથી નજીવા પ્રમાણમાં થઈ રહયો છે. સોયાબીનનો આહારમાં ઉપયોગ ઘણા લાંબા સમયથી સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે. વર્તમાનમાં પણ અનેક શોધોથી તેના આ તથ્યની પુષ્ટિ થઈ છે. દૈનિક આહારમાં પ્રતિદિન પ્રસંસ્કરીત ૩૦ ગ્રામ સોયાબીનનો ઉપયોગ કરવામાં આવે તો દૈનિક પ્રોટીનની આપુર્તિ થઈ માણસ અનેક ઘાતક રોગો થી દૂર રહી શકે છે.