- ઘણા ખેડૂત ભાઈઓ જરૂરી માત્રા કરતા વધુ બિયારણ ખરીદી રાખે છે. વાવેતર સમયે ભલામણ કરતા વધુ બિયારણ વાવે છે. દરેક છોડને પુરતું પોષણ મળતું નથી અને પાક પરિસ્થિતિ નબળી રહે છે. કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ભલામણ કરેલ માત્રામાં જ બિયારણના દરનો ઉપયોગ કરવો તથા તેની વાવણી/રોપણી ભલામણ કરેલ યોગ્ય અંતરે કરવી.વધુ કે ઓછા છોડ હોય તો ઉત્પાદન ઉપર માઠી અસર થાય છે.વધુ બિયારણ વાપરવાથી બિયારણ ખર્ચ વધે છે અને પાછળથી પારવણીમાં મજુરી ખર્ચ પણ વધે છે.