પ્રકાશ પિંજર પ્રતિ હેકટરે એકની સંખ્યામાં ગોઠવી આ જીવાતના પુખ્તને  આકર્ષી નાશ કરવો. * આ જીવાતના નર કદાને આકર્ષતા ફેરોમોન ટ્રેપ ૫૦ પ્રતિ હેક્ટર પ્રમાણે ગોઠવવા અને તેની લ્યૂર દર ૪૦ દિવસે બદલતા  રહેવી. * માટી અથવા રેતી પ ગ્રામ/ છોડ વાવણીના ૩૦ અને ૪પ દિવસ પછી ભૂંગળીમાં આપવાથી આ જીવાતને ખાવામાં અને રહેવામાં અડચણ પેદા થાય છે. * વધુ ઉપદ્રવ હોય તો સ્પીનટોરમ ૧૧.૭ એસસી (૧૫ મિ.લી./૧૫ લિટર પાણી) અથવા એમામેક્ટિન બેન્ઝોએટ પ એસજી (૮ ગ્રામ/૧૫ લિટર પાણી) અથવા ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ ૧૮.૫ એસસી (૬ મિ.લી./૧૫ લિટર પાણી) અથવા થાયોડીકાર્બ ૭૫ ડબલ્યૂપી (૪૫ગ્રામ/૧૫ લિટર પાણી)નો પ્રથમ છંટકાવ જીવાતના ઉપદ્રવની શરૂઆત થાય ત્યારે અને બીજો છંટકાવ તેના ૧૫ દિવસ બાદ કરવો તેમજ ડોડાના ઉતાર/ કાપણી અને છેલ્લા છંટકાવ વચ્ચેનો સમયગાળો ૩૦ દિવસ રાખવો. * ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૦.૪% દાણાદાર કીટનાશક ૨૦ કિ.ગ્રા. પ્રતિ હેક્ટર પ્રમાણે છોડની ભૂંગળીમાંઆપવી અને ત્યારબાદ ૧૫ દિવસે બીજી વખત  માવજત આપવાથી પણ સારા પરિણામ મળે છે. * મકાઈ રપ- ૩૦ દિવસની થાય ત્યારે વિષ પ્રલોભિકા (૧ એકર માટે ૧૦ કિ.ગ્રા. ડાંગરનું ભૂસુ  ૨ કિ.ગ્રા. ગોળનું દ્રાવણ બનાવી મિશ્રણ કરી એક રાત્રિ સુધી રહેવા દેવું. બીજા દિવસે તેમાં ૧૦૦ ગ્રામ થાયોડીકાર્બ ૭૫ ડબલ્યૂપી બરાબર ભેળવવું) ભૂંગળીમાં આપવી અને ત્યારબાદ ૧૫ દિવસે ઉપર દશાવેલ કોઈ એક કીટનાશકનો છંટકાવ કરવો.