વૈજ્ઞાનિક ઢબે સૂરજની ગરમીથી પદાથમાંનો ભેજ દૂર કરતા સાધનને સૌર સુક્વણીયંત્ર કે સોલર ડ્રાયર કહે છે. વૈજ્ઞાનિક સુક્વણીની પદ્ધતિ આકર્ષક તેમજ આરોગ્યપ્રદ છે. વળી વૈજ્ઞાનિક પદ્ધતિથી પાકની મૂળ ગંધ, વિટામિન વગેરે જળવાઈ રહે છે. તેથી વધુ બજારભાવ મેળવી શકાય છે. વધુમાં સુકવણી પણ ઝડપભેર થાય છે.