કેળના પાકમાં નીચેના ટૅપકાંવાળા પાન ૧.૫ થી ૨ મહિનાના અંતરે કાપી ખેતરની બહાર કાઢી બાળીને નાશ કરવો. રોગ દેખાય ત્યારે કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા ૧૫ ગ્રામ અથવા પ્રોપીનેબ ૭૦ વેપા ૩૦ ગ્રામ અથવા પ્રોપીકોનાઝોલ રપ ઇસી ૭ મિ.લિ. ૧૫ લિટર પાણીમાં ભેળવી રોગની તીત્રતા પ્રમાણે ૧૫ દિવસના અંતરે બે થી ત્રણ છંટકાવ કરવા. કૂગનાશકના પ્રવાહી મિશ્રણ સાથે એક ચમચી સ્ટિકર ઉમેરવું હિતાવહ છે.