તંદુરસ્ત અને રોગમુકત મકાઈના બીજ જ વાવવાના ઉપયોગમાં લેવા.  ભલામણ કરેલ ખેતી પદ્ધતિઓનો સમયસર ઉપયોગ કરવો.  બીજને થાયરમ ૨ થી ૩ ગ્રામ ૧ કિલો બીજ દીઠ પ્રમાણે બીજ માવજત આપી ને બીજની વાવણી કરવી.  ટ્રાયકોડર્મા જૈવિક ફૂગનાશક ૬ ગ્રામ પ્રતિ ૧ કિલો બીજ દીઠ બીજ માવજત આપીને બીજની વાવણી કરવાથી અસરકારક નિયંત્રણ થાય છે