આ જીવાતોના ઉપદ્રવની શરૂઆતમાં  વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ચૂસીયાં પ્રકારની જીવાતો અને પાનકોરિયાના વધુ ઉપદ્રવ વખતે ડાયમિથોએટ ૩૦ ઇસી ૧૫ મિ.લિ.અથવા ઈમિડાકલોપ્રીડ ૧૭.૮ એસએલ ૬ મિ.લિ. અથવા થાયોમેથોકઝામ ૨૫ ડબલ્યુજી ૬ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. મીંજના નિયંત્રણ માટે ક્વિનાલફોસ રપ ઈસી ૩૦ મિ.લિ. અથવા ક્લોરપાયરીફોસ ર૨૦ ઇસી ૩૧૦ મિ.લિ. અથવા ફેનવાલેરેટ ૨૦ ઇસી ૧૫ મિ.લિ. અથવા સાયપરમેથ્રિન ૧૦ ઇસી ૧૫ મિ.લિ.અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૫ મિ.લિ. ૧૫ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. જો ગુવારનો પાક શાકભાજી માટે ઉગાડવામાં આવે તો પ્રતિબંધિત મોનોક્રોટોફોસનો છંટકાવ કરવો નહીં.